Narayan Sai Asaram Bapu and Jooton ka haar
વિરમગામમાં આસારામનાં પોસ્ટરો પર લોકોએ જૂતાંનો હાર પહેરાવ્યો
आसाराम बापू के पोस्टर को जूतो का हार
विरमगाम गुजरात मे भडके हुए लोगो ने आसाराम बापू के पोस्टर को जूतो का हार पहनाया एवं नारायण साँई के सतसंग का विरोध किया.
Sandesh અમદાવાદ, તા. ૧૫
આસારામ આશ્રમના ગુરુકુળમાં અભ્યાસ કરતા દીપેશ- અભિષેક અપમૃત્યુ પ્રકરણ અને આસારામ સામે સંખ્યાબંધ આક્ષેપો- વિવાદોના કારણે લોકોમાં આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ સામે જે ભારોભાર આક્રોશ પ્રવર્તે છે તેનો પડઘો આજે વિરમગામમાં પડયો હતો.ઉશ્કેરાયેલા લોકોએ સ્ટેશન નજીક લગાવાયેલાં આસારામનાં પોસ્ટરો પર જૂતાનો હાર પહેરાવીને રોષ ઠાલવ્યો હતો.
• નારાયણ સાંઇની હાજરીમાં ફિલ્મ અને સત્સંગનો વિરોધ
• બેનર્સ, પોસ્ટર્સ ફાડી નાખી રોષ ઠાલવ્યો
વિરમગામથી ૩ કિ.મી. દૂર કોકતા ફાટક નજીક આસારામ આશ્રમ છે. આ આશ્રમમાં તા.૨૦થી ૨૨ માર્ચ દરમિયાન આસારામના પુત્ર નારાયણ પ્રેમસાંઇની હાજરીમાં ‘સુદર્શન’ આધ્યાત્મિક ફિલ્મ પ્રર્દિશત દર્શાવવા અંગે અને રોજ સવારે ૧૦થી ૧ સત્સંગના કાર્યક્રમનો પ્રચાર કરવા વિરમગામમાં ઠેરઠેર પોસ્ટર્સ ચોંટાડી દેવાયા છે. આ પ્રકારના પોસ્ટર્સ જોતાં લોકોમાં રોષ ભભૂકી ઊઠયો હતો.
શહેરભરમાં આસારામના માણસોએ પોસ્ટર્સ ચોંટાડવાનું ચાલુ રાખતા લોકોના ટોળાં એકત્ર થયા હતા. વિરમગામ રેલવે સ્ટેશન પર લગાવેલા બેનર પર તો લોકોએ જૂતાનો હાર પહેરાવી દઇ કેટલાંક બેનર્સ અને પોસ્ટર્સ ફાડી નાંખ્યા હતાં. શહેરભરમાં સંખ્યાબંધ સ્થળોએ પણ આ પ્રકારે લોકોએ રોષ ઠાલવ્યો હતો. વિરમગામ જંકશન સ્ટેશન પર બેનરો પર લટકાવાયેલા જૂતાનો હાર જોવા પણ લોકોના ટોળાં ઊમટયા હતા.
ઉલ્લેખનીય છે, બાળકોના અપમૃત્યુ પ્રકરણ બાદ દેશભરમાં આસારામ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. અમદાવાદમાં સવિશેષ રોષ છે. ચીમનભાઇ પટેલબ્રિજ પર આસારામ આશ્રમની બસે સ્કૂલ રિક્ષાને અડફેટમાં લેતાં ઉશ્કેરાયેલા ટોળાંએ બસેને સળગાવી દીધી હતી.
|